
ધૂમ્રપાન કરનારના ગળામાં મેનિંગોકોકસ નામના ઘાતક બેકટેરિયા હોય છે
સિડનીના નેશનલ સેન્ટર ફોર લુમિનાઈઝેશન એન્ડ રિસર્ચના નિષ્ણાતોએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધૂમ્રપાન કરનારાઓએ બાળકોને બાથ ભરવાનું કે તેમને વહાલ કરવાનું ટાળવું જોઈએ. બાળકને હળવી ચૂમી કરવાથી પણ તેને મેનિંગોકોકસ બેકટેરિયાનો ચેપ લાગી શકે છે. આ બેકટેરિયાનો ચેપ લાગ્યા પછી ૧૦ ટકા બાળકો બચી શકતાં નથી.
મેનિંગોકોકસ બેકટેરિયાનો ચેપ લાગ્યા પછી બાળકને અચાનક તાવ આવી જાય છે, તેને ભયંકર માથાનો દુખાવો થવા લાગે છે. બાળક નબળાઈ અનુભવે છે, થાક અને ઘેનનો અનુભવ કરે છે. તેના પગ અને સાંધા દુખવા લાગે છે, સોજો વધી જાય છે. બાળકને બેચેની અને વોમિટ થવા લાગે છે. તેને ઉજ્જવળ પ્રકાશ ગમતો નથી. અંધારું પસંદ કરવા લાગે છે. ગળું જકડાઈ જાય છે અને શરીરે લાલ અથવા ફાલસાઈ દાણા ઊપસી આવે છે.જો સમયસર રોગનો ચેપ ધ્યાનમાં ન આવે તો બાળક કોમામાં જતું રહે છે તેમ પ્રોફેસર રોબર્ટ બૂયએ જણાવ્યું હતું.
Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.
Source: Sandesh
< Prev | Next > |
---|